ચીન ના પ્રવક્તાએ જમ્મુ કાશ્મીર ઉપર આપેલા નિવેદન પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવો ભારતનો આંતરિક મામલો છે. વિદેશ મંત્રાલયે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતના આંતરિક મામલામાં ચીન સહિત અન્ય દેશોને દખલ કરવી જોઈએ નહીં. કાશ્મીર મામલે ભારતની સ્થિતિ વિશે ચીનને જાણકારી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. અમે આશા કરીએ છીએ કે અન્ય દેશો ભારતની સંપ્રુભતા અને અખંડતાનું સન્માન કરશે.
તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગો પર ચીનનો પણ કબજો છે. ચીને 1963ના તથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ સમજુતી પ્રમાણે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(PoK) ગેરકાયદેસર ભારતીય ક્ષેત્રો ઉપર કબજો કર્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃ઼ત કાશ્મીરમાં CPEC કોરિડોર ઉપર પણ અમે પાકિસ્તાન અને ચીન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક-કોરિડોરનું નિર્માણ પીઓકેમાં કરી રહ્યું છે. જ્યાં 1947થી પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કરેલો છે.
ચીન ના પ્રવક્તાએ જમ્મુ કાશ્મીર ઉપર આપેલા નિવેદન પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવો ભારતનો આંતરિક મામલો છે. વિદેશ મંત્રાલયે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતના આંતરિક મામલામાં ચીન સહિત અન્ય દેશોને દખલ કરવી જોઈએ નહીં. કાશ્મીર મામલે ભારતની સ્થિતિ વિશે ચીનને જાણકારી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. અમે આશા કરીએ છીએ કે અન્ય દેશો ભારતની સંપ્રુભતા અને અખંડતાનું સન્માન કરશે.
તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગો પર ચીનનો પણ કબજો છે. ચીને 1963ના તથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ સમજુતી પ્રમાણે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(PoK) ગેરકાયદેસર ભારતીય ક્ષેત્રો ઉપર કબજો કર્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃ઼ત કાશ્મીરમાં CPEC કોરિડોર ઉપર પણ અમે પાકિસ્તાન અને ચીન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક-કોરિડોરનું નિર્માણ પીઓકેમાં કરી રહ્યું છે. જ્યાં 1947થી પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કરેલો છે.