પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ જાહેરમાં એકરાર કર્યો હતો કે રીઢો આતંકવાદી અને ભારતમાં એક કરતાં વધુ હુમલા કરાવનાર મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. જોકે, તેમણે એવો દાવો પણ કર્યો હતો કે મસૂદ ખૂબ બીમાર છે અને હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની તબિયત એટલી ખરાબ છે કે તે ઘરની બહાર પણ નીકળી શકતો નથી.
સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કુરૈશીને એેવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે બંને પાડોશી દેશો વચ્ચે આટલું બધું ટેન્શન સર્જનારા આ આતંકવાદીની તમે હજુ સુધી ધરપકડ કેમ નથી કરી? આ સવાલના જવાબમાં કુરૈશીએ કહ્યું હતું કે, અમને પુરાવાની જરૂર છે. કોર્ટમાં માત્ર વાતોથી કામ ચાલતું નથી. કોર્ટ તો પુરાવા માગે. ભારત અમને પૂરતા પુરાવા આપે તો અમે મસૂદને પકડીને કોર્ટમાં રજૂ કરી શકીએ અને કોર્ટ પુરાવાના આધારે તેને સજા કરી શકે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ જાહેરમાં એકરાર કર્યો હતો કે રીઢો આતંકવાદી અને ભારતમાં એક કરતાં વધુ હુમલા કરાવનાર મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. જોકે, તેમણે એવો દાવો પણ કર્યો હતો કે મસૂદ ખૂબ બીમાર છે અને હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની તબિયત એટલી ખરાબ છે કે તે ઘરની બહાર પણ નીકળી શકતો નથી.
સીએનએનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કુરૈશીને એેવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે બંને પાડોશી દેશો વચ્ચે આટલું બધું ટેન્શન સર્જનારા આ આતંકવાદીની તમે હજુ સુધી ધરપકડ કેમ નથી કરી? આ સવાલના જવાબમાં કુરૈશીએ કહ્યું હતું કે, અમને પુરાવાની જરૂર છે. કોર્ટમાં માત્ર વાતોથી કામ ચાલતું નથી. કોર્ટ તો પુરાવા માગે. ભારત અમને પૂરતા પુરાવા આપે તો અમે મસૂદને પકડીને કોર્ટમાં રજૂ કરી શકીએ અને કોર્ટ પુરાવાના આધારે તેને સજા કરી શકે.