સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન 4 શરૂ છે. જે 31 મેનાં રોજ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ દરમિયાન છેલ્લાં કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થઇ ગયાં છે... લોકડાઉન 5માં ફરીથી બધું જ બંધ કરી દેવામાં આવશે. આવી અફવા વચ્ચે અને સોશિયલ મીડિયામાં આવાં ફરતા થયેલા મેસેજને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે, ‘1લી જૂનથી લોકડાઉન-5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો જે ફેલાઈ રહી છે. તે વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ. તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.’
સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન 4 શરૂ છે. જે 31 મેનાં રોજ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ દરમિયાન છેલ્લાં કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થઇ ગયાં છે... લોકડાઉન 5માં ફરીથી બધું જ બંધ કરી દેવામાં આવશે. આવી અફવા વચ્ચે અને સોશિયલ મીડિયામાં આવાં ફરતા થયેલા મેસેજને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે, ‘1લી જૂનથી લોકડાઉન-5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો જે ફેલાઈ રહી છે. તે વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ. તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.’