કેન્દ્ર સરકાર દ્વારા સ્વાસ્થ્ય વિષયક મધ્ય વર્ગને એક મોટી ભેટ આપી છે. સરકારે આયુષ્માન ભારત યોજનાની મર્યાદાને વધારતા તેમાં દેશનાં મધ્યમ વર્ગને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી દેશના મધ્યમ વર્ગીય પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનું હેલ્થકવર મળશે. પહેલા આ યોજનાનો લાભ માત્ર આર્શિક રીતે પછાત વર્ગને જ મળતો હતો. જેનો લાભ હવે મધ્યમ વર્ગને પણ મળશે.
સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પોતાની દરેક વીમા યોજનાઓને એકત્ર કરવાનું નક્કી કર્યુ છે. આ યોજનાને દેશભરમાં લાગુ કરનારી સંસ્થા નેશનલ હેલ્થ ઓથારિટીની ગવર્નિંગ કાઉન્સિલે આખા દેશમાં તેના માટેની મંજૂરી આપી દીધી છે. જેથી કરીને મધ્યમ વર્ગને ફાયદો થાય.
હમણાં આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ જ શરૂ કરાશે. જેથી ખબર પડે કે યોજનાને પ્રભાવક રીતે લાગુ કરવા માટે કઈ કઈ તકેદારી રાખવી તેનો ખ્યાલ આવે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યુ કે હાલ આ યોજનાનો લાભ દેશના 10.74 કરોડ પરિવારો ઉઠાવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્વાસ્થ્ય વિષયક મધ્ય વર્ગને એક મોટી ભેટ આપી છે. સરકારે આયુષ્માન ભારત યોજનાની મર્યાદાને વધારતા તેમાં દેશનાં મધ્યમ વર્ગને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી દેશના મધ્યમ વર્ગીય પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનું હેલ્થકવર મળશે. પહેલા આ યોજનાનો લાભ માત્ર આર્શિક રીતે પછાત વર્ગને જ મળતો હતો. જેનો લાભ હવે મધ્યમ વર્ગને પણ મળશે.
સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પોતાની દરેક વીમા યોજનાઓને એકત્ર કરવાનું નક્કી કર્યુ છે. આ યોજનાને દેશભરમાં લાગુ કરનારી સંસ્થા નેશનલ હેલ્થ ઓથારિટીની ગવર્નિંગ કાઉન્સિલે આખા દેશમાં તેના માટેની મંજૂરી આપી દીધી છે. જેથી કરીને મધ્યમ વર્ગને ફાયદો થાય.
હમણાં આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ જ શરૂ કરાશે. જેથી ખબર પડે કે યોજનાને પ્રભાવક રીતે લાગુ કરવા માટે કઈ કઈ તકેદારી રાખવી તેનો ખ્યાલ આવે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યુ કે હાલ આ યોજનાનો લાભ દેશના 10.74 કરોડ પરિવારો ઉઠાવી રહ્યા છે.