કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ભલે ચીન સાથેના સરહદ વિવાદ અને કોરોનાને લઈ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરી રહ્યા હોય પરંતુ મૂડ ઓફ ધ નેશન (MOTN) સર્વે પ્રમાણે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત જ છે. એટલું જ નહીં તેઓ હજુ પણ ભારતના આગામી વડાપ્રધાન તરીકે સૌથી લોકપ્રિય વિકલ્પ જ છે.
તાજેતરમાં કરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં 66 ટકા લોકોનું એવું માનવું છે કે નરેન્દ્ર મોદી ભારતના આગામી વડાપ્રધાન બનવા જોઈએ. મોદી બાદ બીજા ક્રમે રાહુલ ગાંધીનું નામ આવે છે પરંતુ તેઓ 10ના આંકડાને સ્પર્શી નથી શક્યા. જો કે 8 ટકા મત સાથે તેઓ બીજી પસંદ જરૂર છે.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને વડાપ્રધાન પદ માટે ત્રીજા સૌથી લોકપ્રિય નેતા માનવામાં આવ્યા છે અને તેમને 5 ટકા મત મળ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ આ યાદીમાં ચોથા ક્રમે છે અને તેમને 4 ટકા મત મળ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ પણ આ યાદીમાં સ્થાન પામ્યા છે અને તેમને બંનેને 3-3 ટકા મત મળ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ આ યાદીમાં જગ્યા મળી છે અને તેમને 2-2 ટકા મત મળ્યા છે.
કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને રાજનાથ સિંહ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવ પણ તે ગણતરીના નેતાઓમાં સમાવિષ્ટ છે જેમને લોકોએ આગામી વડાપ્રધાન તરીકે જોવાની વાત કરી છે.
મૂડ ઓફ ધ નેશન સર્વે માટે 12,021 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાંથી 67 ટકા લોકો ગ્રામીણ અને બાકીના 33 ટકા લોકો શહેરી હતા. સર્વેમાં 19 રાજ્યોની કુલ 97 લોકસભા અને 194 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી.
દેશના જે 19 રાજ્યોમાં સર્વે કરવામાં આવ્યો તેમાં આસામ, આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યનો સમાવેશ થાય છે. આ સર્વે 15 જુલાઈથી 27મી જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો અને તેમાં 52 ટકા પુરૂષ જ્યારે 48 ટકા મહિલાઓએ ભાગ લીધો હતો.
જો ધર્મના માપદંડથી જોઈએ તો સર્વેમાં 86 ટકા હિંદુ, 9 ટકા મુસ્લિમ અને 5 ટકા અન્ય ધર્મના લોકોનો મત જાણવામાં આવ્યો હતો. જે લોકો પર સર્વે કરવામાં આવ્યો તેમાં 30 ટકા સવર્ણ, 25 ટકા એસસી-એસટી અને 44 ટકા અન્ય પછાત વર્ગના લોકો સામેલ હતા. અત્યાર સુધી આ સર્વે પરંપરાગત રીતે સામસામે સાક્ષાત્કાર દ્વારા કરવામાં આવતો હતો પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે સર્વેમાં સામેલ લોકોને ફોન કરીને તેમનો મત જાણવામાં આવ્યો હતો.
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ભલે ચીન સાથેના સરહદ વિવાદ અને કોરોનાને લઈ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરી રહ્યા હોય પરંતુ મૂડ ઓફ ધ નેશન (MOTN) સર્વે પ્રમાણે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત જ છે. એટલું જ નહીં તેઓ હજુ પણ ભારતના આગામી વડાપ્રધાન તરીકે સૌથી લોકપ્રિય વિકલ્પ જ છે.
તાજેતરમાં કરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં 66 ટકા લોકોનું એવું માનવું છે કે નરેન્દ્ર મોદી ભારતના આગામી વડાપ્રધાન બનવા જોઈએ. મોદી બાદ બીજા ક્રમે રાહુલ ગાંધીનું નામ આવે છે પરંતુ તેઓ 10ના આંકડાને સ્પર્શી નથી શક્યા. જો કે 8 ટકા મત સાથે તેઓ બીજી પસંદ જરૂર છે.
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને વડાપ્રધાન પદ માટે ત્રીજા સૌથી લોકપ્રિય નેતા માનવામાં આવ્યા છે અને તેમને 5 ટકા મત મળ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ આ યાદીમાં ચોથા ક્રમે છે અને તેમને 4 ટકા મત મળ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ પણ આ યાદીમાં સ્થાન પામ્યા છે અને તેમને બંનેને 3-3 ટકા મત મળ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ આ યાદીમાં જગ્યા મળી છે અને તેમને 2-2 ટકા મત મળ્યા છે.
કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને રાજનાથ સિંહ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવ પણ તે ગણતરીના નેતાઓમાં સમાવિષ્ટ છે જેમને લોકોએ આગામી વડાપ્રધાન તરીકે જોવાની વાત કરી છે.
મૂડ ઓફ ધ નેશન સર્વે માટે 12,021 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાંથી 67 ટકા લોકો ગ્રામીણ અને બાકીના 33 ટકા લોકો શહેરી હતા. સર્વેમાં 19 રાજ્યોની કુલ 97 લોકસભા અને 194 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી.
દેશના જે 19 રાજ્યોમાં સર્વે કરવામાં આવ્યો તેમાં આસામ, આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યનો સમાવેશ થાય છે. આ સર્વે 15 જુલાઈથી 27મી જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો અને તેમાં 52 ટકા પુરૂષ જ્યારે 48 ટકા મહિલાઓએ ભાગ લીધો હતો.
જો ધર્મના માપદંડથી જોઈએ તો સર્વેમાં 86 ટકા હિંદુ, 9 ટકા મુસ્લિમ અને 5 ટકા અન્ય ધર્મના લોકોનો મત જાણવામાં આવ્યો હતો. જે લોકો પર સર્વે કરવામાં આવ્યો તેમાં 30 ટકા સવર્ણ, 25 ટકા એસસી-એસટી અને 44 ટકા અન્ય પછાત વર્ગના લોકો સામેલ હતા. અત્યાર સુધી આ સર્વે પરંપરાગત રીતે સામસામે સાક્ષાત્કાર દ્વારા કરવામાં આવતો હતો પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે સર્વેમાં સામેલ લોકોને ફોન કરીને તેમનો મત જાણવામાં આવ્યો હતો.