વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમામિ ગંગે’ મિશન હેઠળ ઉત્તરાખંડમાં મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 6 મોટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને ખેડૂત કાયદા પર ચાલી રહેલા વિરોધ પર પોતાની પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મોટા સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી દેશના શ્રમિક સશક્ત થશે, દેશના યુવા સશક્ત થશે, દેશની મહિલાઓ સશક્ત હશે, દેશના ખેડૂત સશક્ત થશે. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે લોકો માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરી રહ્યા છે.
PM મોદીએ કહ્યું કે, આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે તો પણ આ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. આ લોકો ઈચ્છે છે કે દેશના ખેડૂત ખુલ્લા બજારમાં પોતાની ઉપજ ન વેચી શકે. જે સામાનોની, ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવીને આ લોકો ખેડૂતોને અપમાનિત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમામિ ગંગે’ મિશન હેઠળ ઉત્તરાખંડમાં મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 6 મોટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને ખેડૂત કાયદા પર ચાલી રહેલા વિરોધ પર પોતાની પ્રતિક્રિયા આપી. પીએમ મોદીએ કહ્યું કે દેશના ખેડૂતો, શ્રમિકો અને દેશના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મોટા સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી દેશના શ્રમિક સશક્ત થશે, દેશના યુવા સશક્ત થશે, દેશની મહિલાઓ સશક્ત હશે, દેશના ખેડૂત સશક્ત થશે. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે લોકો માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરી રહ્યા છે.
PM મોદીએ કહ્યું કે, આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના અધિકાર આપી રહી છે તો પણ આ લોકો વિરોધ પર ઉતરી આવ્યા છે. આ લોકો ઈચ્છે છે કે દેશના ખેડૂત ખુલ્લા બજારમાં પોતાની ઉપજ ન વેચી શકે. જે સામાનોની, ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવીને આ લોકો ખેડૂતોને અપમાનિત કરી રહ્યા છે.