પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને શનિવારે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના કારણે આપણને ભારતથી ખતરો વધતો જઇ રહ્યો છે. તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે કે ભારત પોતાની ઘરેલૂ પરિસ્થિતિઓથી ધ્યાન ભટકાવવા માટે તેમના (પાકિસ્તાન) વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. વધુમાં ઇમરાને કહ્યું કે તેઓ ભારતના કોઇ પણ પ્રોક્સી વોર (યુદ્ધ)નો જડબાતોડ જવાબ આપશે.