Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે સમગ્ર દેશમાં 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું છે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વંતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાજ્યના નાગરિકોને સંબોધન કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રી રૂપાણીએ મહામારી સામે જંગ લડી રહેલા ફ્રન્ટ લાઈન યોદ્ધા એવા કૉરોના વૉરિયર્સની કામગીરીની બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, કોરોનાને દેશવટો આપવા માટે ફરીથી આઝાદી જેવી ચળવળ ચલાવવી પડશે.

CM રૂપાણીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને ગુજરાત સરકારની સિદ્ધિઓની વિગતવાર ચર્ચા કરી હતી.

કોરોના સામેનો સંગ્રામ જીતવા માટે તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરવા માટે આહ્વાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણના સંકટને જોતા આ વખતે સ્વતંત્રતા પર્વની ઉજવણી ખુબ જ સાદાઈથી રાખવામાં આવી છે. કોરોનાના પગલે તકેદારીના ભાગરૂપે માત્ર જૂજ મહેમાનોને જ આ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ કોરોના વૉરિયર્સનું સમ્માન કર્યું હતું.

આજે સમગ્ર દેશમાં 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું છે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વંતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાજ્યના નાગરિકોને સંબોધન કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રી રૂપાણીએ મહામારી સામે જંગ લડી રહેલા ફ્રન્ટ લાઈન યોદ્ધા એવા કૉરોના વૉરિયર્સની કામગીરીની બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, કોરોનાને દેશવટો આપવા માટે ફરીથી આઝાદી જેવી ચળવળ ચલાવવી પડશે.

CM રૂપાણીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને ગુજરાત સરકારની સિદ્ધિઓની વિગતવાર ચર્ચા કરી હતી.

કોરોના સામેનો સંગ્રામ જીતવા માટે તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરવા માટે આહ્વાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણના સંકટને જોતા આ વખતે સ્વતંત્રતા પર્વની ઉજવણી ખુબ જ સાદાઈથી રાખવામાં આવી છે. કોરોનાના પગલે તકેદારીના ભાગરૂપે માત્ર જૂજ મહેમાનોને જ આ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ કોરોના વૉરિયર્સનું સમ્માન કર્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ