સુપ્રીમ કોર્ટે સોમવારે એક મોટો ચુકાદો આપતા NEET અને JEE Mains 2020 પ્રવેશ પરીક્ષાઓને ટાળવાની અરજીને ફગાવી દીધી છે. આ કારણે હવે JEE Mains 2020નું આયોજન 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર, જ્યારે NEET 2020નું આયોજન 13 સપ્ટેમ્બરથી નક્કી શેડ્યુલ મુજબ થશે.
જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે આ મામલાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે જિંદગીને આ રીતે રોકી ન શકાય. આપણે સુરક્ષાના ઉપાયોની સાથે આગળ વધવું પડશે, સ્ટુડન્ટ્સના ભવિષ્યને દાવ પર ન લગાવી શકાય. કોર્ટે અરજદાર સ્ટુડન્ટ્સને એ પણ પુછ્યું કે શું તમે પરીક્ષાઓને રદ કરાવીને તમારું એક વર્ષ બરબાદ કરવા માંગો છો?
સુપ્રીમ કોર્ટે સોમવારે એક મોટો ચુકાદો આપતા NEET અને JEE Mains 2020 પ્રવેશ પરીક્ષાઓને ટાળવાની અરજીને ફગાવી દીધી છે. આ કારણે હવે JEE Mains 2020નું આયોજન 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર, જ્યારે NEET 2020નું આયોજન 13 સપ્ટેમ્બરથી નક્કી શેડ્યુલ મુજબ થશે.
જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે આ મામલાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે જિંદગીને આ રીતે રોકી ન શકાય. આપણે સુરક્ષાના ઉપાયોની સાથે આગળ વધવું પડશે, સ્ટુડન્ટ્સના ભવિષ્યને દાવ પર ન લગાવી શકાય. કોર્ટે અરજદાર સ્ટુડન્ટ્સને એ પણ પુછ્યું કે શું તમે પરીક્ષાઓને રદ કરાવીને તમારું એક વર્ષ બરબાદ કરવા માંગો છો?