Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં તપાસ ચાલી રહી છે. આ દરમ્યાન, મહારાષ્ટ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે CBI તપાસનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે સીલ બંધ કવરમાં તપાસ અંગેનો રિપોર્ટ દાખલ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં મહારાષ્ટ્ર સરકારે બિહાર સરકાર પર આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે આ મામલે બિહાર સરકારે નિયમોની વિરુદ્ધમાં જઈને કામ કર્યું છે. બિહાર સરકાર પાસે માત્ર જીરો FIR દાખલ કરવાનો અધિકાર હતો. તેમણે FIR દાખલ કરીને અમારી પાસે મોકલવાની જરૂર હતી.

મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે FIR દાખલ કરીને બિહાર પોલીસે તપાસ શરૂ કરી જેનો તેમને કોઈ અધિકાર ન હતો. જયારે તપાસ જ ગેરકાનૂની છે તો બિહાર સરકાર CBI તપાસની ભલામણ કેવી રીતે કરી શકે છે. કેન્દ્રએ પણ CBI તપાસની માંગ સ્વીકારીને ખોટું કર્યું છે.

મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે બિહાર સરકાર દ્વારા CBI તપાસની માગ કરવી અયોગ્ય છે. કેન્દ્ર સરકાર દ્વારા બિહારની અનધિકૃત માગનો સ્વીકાર કરવો કેન્દ્ર-રાજ્ય સંબંધોની સંવૈધાનિક મર્યાદાઓની વિરુદ્ધમાં છે.

બોલીવડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં તપાસ ચાલી રહી છે. આ દરમ્યાન, મહારાષ્ટ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે CBI તપાસનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે સીલ બંધ કવરમાં તપાસ અંગેનો રિપોર્ટ દાખલ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં મહારાષ્ટ્ર સરકારે બિહાર સરકાર પર આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે આ મામલે બિહાર સરકારે નિયમોની વિરુદ્ધમાં જઈને કામ કર્યું છે. બિહાર સરકાર પાસે માત્ર જીરો FIR દાખલ કરવાનો અધિકાર હતો. તેમણે FIR દાખલ કરીને અમારી પાસે મોકલવાની જરૂર હતી.

મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે FIR દાખલ કરીને બિહાર પોલીસે તપાસ શરૂ કરી જેનો તેમને કોઈ અધિકાર ન હતો. જયારે તપાસ જ ગેરકાનૂની છે તો બિહાર સરકાર CBI તપાસની ભલામણ કેવી રીતે કરી શકે છે. કેન્દ્રએ પણ CBI તપાસની માંગ સ્વીકારીને ખોટું કર્યું છે.

મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે બિહાર સરકાર દ્વારા CBI તપાસની માગ કરવી અયોગ્ય છે. કેન્દ્ર સરકાર દ્વારા બિહારની અનધિકૃત માગનો સ્વીકાર કરવો કેન્દ્ર-રાજ્ય સંબંધોની સંવૈધાનિક મર્યાદાઓની વિરુદ્ધમાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ