Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં 15 ઓગસ્ટના ઠીક એક દિવસ પહેલા આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ નૌગામમાં શ્રીનગરના બહારી વિસ્તારમાં પોલીસ પાર્ટી પર હુમલો કર્યો છે. જેમાં બે પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે, જ્યારે એકને ઈજા થઈ છે.

આ અંગે IG કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, ગલીમાં બે આતંકવાદીઓ આવ્યા અને અમારા જવાનો કંઈ સમજે, તે પહેલા અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં બે જવાનો શહીદ થયા છે અને એક ઘાયલ થયો છે. અમે આતંકવાદીઓને ઓળખી કાઢ્યા છે, જે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓ તરફથી પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર હુમલાઓનું પ્રમાણ વધી ગયું છે. તાજેતરમાં બે દિવસ અગાઉ જ બારામૂલાના સોપોરમાં એક સેનાની ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન ઈજાગ્રસ્ત થયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં 15 ઓગસ્ટના ઠીક એક દિવસ પહેલા આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ નૌગામમાં શ્રીનગરના બહારી વિસ્તારમાં પોલીસ પાર્ટી પર હુમલો કર્યો છે. જેમાં બે પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે, જ્યારે એકને ઈજા થઈ છે.

આ અંગે IG કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે, ગલીમાં બે આતંકવાદીઓ આવ્યા અને અમારા જવાનો કંઈ સમજે, તે પહેલા અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં બે જવાનો શહીદ થયા છે અને એક ઘાયલ થયો છે. અમે આતંકવાદીઓને ઓળખી કાઢ્યા છે, જે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓ તરફથી પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર હુમલાઓનું પ્રમાણ વધી ગયું છે. તાજેતરમાં બે દિવસ અગાઉ જ બારામૂલાના સોપોરમાં એક સેનાની ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન ઈજાગ્રસ્ત થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ