જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સતત રાજીનામાં આપી રહ્યાં છે. કાશ્મીરમાં સરપંચો અને પંચાયત સભ્યો સહિત પક્ષના નેતાઓ ઉપર હાલમાં થયેલા હુમલા બાદ ભાજપના નેતા અને કાર્યકર્તાઓ ભયભીત છે. મધ્ય કાશ્મીરના ગાંદરેબલ જિલ્લામાંથી ભાજપના ૬ સભ્યોએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા છે. એ સાથે જ કાશ્મીરમાં છેલ્લા એક અઠવાડિયામાં પક્ષમાંથી રાજીનામાં આપનારા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મળીને સંખ્યા ૪૦ ઉપર પહોંચી છે.
૮ જુલાઇએ આતંકવાદીઓએ ભાજપના વાસીમ બારી, તેમના ભાઇ ઉમર શેખ અને પિતા બશીર શેખની બાંદીપોરામાં ગોળીમારીને હત્યા કરાઇ હતી. ભાજપના નેતા રામમાધવ તમામને સુરક્ષા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સતત રાજીનામાં આપી રહ્યાં છે. કાશ્મીરમાં સરપંચો અને પંચાયત સભ્યો સહિત પક્ષના નેતાઓ ઉપર હાલમાં થયેલા હુમલા બાદ ભાજપના નેતા અને કાર્યકર્તાઓ ભયભીત છે. મધ્ય કાશ્મીરના ગાંદરેબલ જિલ્લામાંથી ભાજપના ૬ સભ્યોએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા છે. એ સાથે જ કાશ્મીરમાં છેલ્લા એક અઠવાડિયામાં પક્ષમાંથી રાજીનામાં આપનારા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મળીને સંખ્યા ૪૦ ઉપર પહોંચી છે.
૮ જુલાઇએ આતંકવાદીઓએ ભાજપના વાસીમ બારી, તેમના ભાઇ ઉમર શેખ અને પિતા બશીર શેખની બાંદીપોરામાં ગોળીમારીને હત્યા કરાઇ હતી. ભાજપના નેતા રામમાધવ તમામને સુરક્ષા પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.