સચિન પાયલટ સમર્થક ૧૯ કોંગ્રેસી ધારાસભ્યોના બળવા બાદ છેલ્લા એક મહિનાથી પોતાની સરકારનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસમત હાંસલ કરી લેતાં રાજ્યમાં સર્જાયેલી રાજકીય કટોકટીનો હાલપૂરતો અંત આવી ગયો હતો. સચિન પાયલટના નેતૃત્વમાં ૧૯ બળવાખોર ધારાસભ્ય પાર્ટીમાં પરત ફર્યા બાદ શુક્રવારે રાજસ્થાન વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી હતી. જયપુરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વિધાનસભાની બેઠક વિલંબિત થઇ હતી અને બપોરે એક વાગ્યા પછી કાર્યવાહી શરૂ કરાઇ હતી.
સચિન પાયલટ સમર્થક ૧૯ કોંગ્રેસી ધારાસભ્યોના બળવા બાદ છેલ્લા એક મહિનાથી પોતાની સરકારનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસમત હાંસલ કરી લેતાં રાજ્યમાં સર્જાયેલી રાજકીય કટોકટીનો હાલપૂરતો અંત આવી ગયો હતો. સચિન પાયલટના નેતૃત્વમાં ૧૯ બળવાખોર ધારાસભ્ય પાર્ટીમાં પરત ફર્યા બાદ શુક્રવારે રાજસ્થાન વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી હતી. જયપુરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વિધાનસભાની બેઠક વિલંબિત થઇ હતી અને બપોરે એક વાગ્યા પછી કાર્યવાહી શરૂ કરાઇ હતી.