ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઇ હતી. વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં ૧૬નાં મોત થયા હતા અને ૨૨ ઘાયલ થયા હતા. હવામાન વિભાગે આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. દરમિયાન પાટનગર દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ થયા હતા. કેરળમાં પૂરની સ્થિતિ થાળે પડતી જાય છે પરંતુ રોગચાળાએ માથું ઉંચુ કર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં પાણીજન્ય રોગોથી સાતનાં મોત થતાં સરકારે લોકોને સાવધ રહેવા ચેતવણી આપી હતી.
ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઇ હતી. વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં ૧૬નાં મોત થયા હતા અને ૨૨ ઘાયલ થયા હતા. હવામાન વિભાગે આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. દરમિયાન પાટનગર દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ થયા હતા. કેરળમાં પૂરની સ્થિતિ થાળે પડતી જાય છે પરંતુ રોગચાળાએ માથું ઉંચુ કર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં પાણીજન્ય રોગોથી સાતનાં મોત થતાં સરકારે લોકોને સાવધ રહેવા ચેતવણી આપી હતી.