જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે રાત્રે કાશ્મીરના શોપિયાંનાં કપરન ગામ ખાતે ત્રાટકેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ ૩ પોલીસકર્મચારી અને એક પોલીસકર્મચારીના ભાઈનું ઘરમાંથી બહાર ખેંચી કાઢી અપહરણ કર્યું હતું, જેમાંથી ૩ની આતંકવાદીઓએ ક્રૂર હત્યા કરી નાખી હતી. ત્રણે પોલીસકર્મચારીના મૃતદેહ કપરનથી ૪ કિલોમીટર દૂર વાનગામ વિસ્તારનાં જંગલમાંથી મળી આવ્યા હતા, જ્યારે એક પોલીસકર્મચારીને છોડાવવામાં ગ્રામજનો સફળ રહ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, કપરન ગામના રહેવાસીઓએ આતંકવાદીઓનો પીછો કરી પોલીસકર્મચારીઓનાં અપહરણ નહીં કરવા વિનંતી કરી હતી પરંતુ આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કરી ગ્રામજનોને ધમકાવ્યાં હતાં, ત્યારબાદ આતંકવાદીઓ નદી પાર કરી જંગલમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ૩ પોલીસજવાનની હત્યા કરી હતી. આતંકવાદીઓએ અપહરણ કરેલા પોલીસના ભાઈને મુક્ત કરી દીધો હતો.
જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે રાત્રે કાશ્મીરના શોપિયાંનાં કપરન ગામ ખાતે ત્રાટકેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ ૩ પોલીસકર્મચારી અને એક પોલીસકર્મચારીના ભાઈનું ઘરમાંથી બહાર ખેંચી કાઢી અપહરણ કર્યું હતું, જેમાંથી ૩ની આતંકવાદીઓએ ક્રૂર હત્યા કરી નાખી હતી. ત્રણે પોલીસકર્મચારીના મૃતદેહ કપરનથી ૪ કિલોમીટર દૂર વાનગામ વિસ્તારનાં જંગલમાંથી મળી આવ્યા હતા, જ્યારે એક પોલીસકર્મચારીને છોડાવવામાં ગ્રામજનો સફળ રહ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, કપરન ગામના રહેવાસીઓએ આતંકવાદીઓનો પીછો કરી પોલીસકર્મચારીઓનાં અપહરણ નહીં કરવા વિનંતી કરી હતી પરંતુ આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કરી ગ્રામજનોને ધમકાવ્યાં હતાં, ત્યારબાદ આતંકવાદીઓ નદી પાર કરી જંગલમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ૩ પોલીસજવાનની હત્યા કરી હતી. આતંકવાદીઓએ અપહરણ કરેલા પોલીસના ભાઈને મુક્ત કરી દીધો હતો.