Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણનું ભયજનક રીતે વધી રહ્યું છે. ત્યારે શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાજીનું કોરોના સંક્રમણને કારણે મોત નીપજ્યું છે. રાજ્યમાં કોરોનાથી કોઇ પોલીસકર્મીનું મોત થયું હોય તેવો આ પહેલો બનાવ છે.

મળતી માહિતી મુજબ, ભરતસિંહનો 16 તારીખનાં રોજ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યાર બાદ તેઓને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર દરમ્યાન તેમનું આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાજીનાં નિધનથી સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં શોક ફેલાયો છે. અમદાવાદનાં પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પણ ટ્વીટ કરીને આ અંગે શોક વ્યક્ત કર્યો છે.

અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણનું ભયજનક રીતે વધી રહ્યું છે. ત્યારે શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાજીનું કોરોના સંક્રમણને કારણે મોત નીપજ્યું છે. રાજ્યમાં કોરોનાથી કોઇ પોલીસકર્મીનું મોત થયું હોય તેવો આ પહેલો બનાવ છે.

મળતી માહિતી મુજબ, ભરતસિંહનો 16 તારીખનાં રોજ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યાર બાદ તેઓને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર દરમ્યાન તેમનું આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ સોમાજીનાં નિધનથી સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં શોક ફેલાયો છે. અમદાવાદનાં પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ પણ ટ્વીટ કરીને આ અંગે શોક વ્યક્ત કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ