ઘરની દાઝી વનમાં ગઇ તો, વનમાં લાગી આગ જેવી પરિસ્થિતિ વટવામાં સર્જાઇ હતી. પિરાણા રોડ પરની ઝુંપડપટ્ટીમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગમાં શ્રમજીવીઓના ૧૭ છાપરાં બળીને રાખ થઇ ગઇ ગયા હતા. જો કે સમયસર ફાયરબ્રિગેડ આવી જતાં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ ગરીબોના ઝૂંપડામાં જીવન જરૃરી ચીજવસ્તુંઓ બળીને ખાખ થઇ ગઇ હતી.