-
કાયદો તમામ માટે એકસમાન છે. કાયદો ધર્મના આધારે ચાલતો નથી. તમામ ધર્મના લોકો કાયદા સામે સમાન છે. પરંતુ સુરતની એક ઘટનામાં પોલીસે કાયદાને ધર્મની સાથે જોડીને ભારતના રાષ્ટ્રધ્વજના લીરા કરવા અને રાષ્ટ્ર ધ્વજ તથા ભારતમાતાની વિરૂધ્ધ અપશબ્દો બોલવા, કૂચેષ્ટા કરવાના કિસ્સામાં પોતાને વિડિયોમાં મુસ્લિમ ગણાવનાર 14 વર્ષના અનુ મિશ્રા નામના કિશોરની સામે દેશદ્રોહનો ગંભીરમાં ગંભીર ગુનો નોંધ્યો. પરંતુ જ્યારે તપાસમાં બહાર આવ્યું કે આ કિશોર મુસ્લિમ નહીં ખરેખર હિન્દુ છે ત્યારે પોલીસે તેણે માફી માંગતા છોડી મૂક્યો...!! આ અંગેના બે વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયા હતા. એક 15 ઓગસ્ટનો અને એક 16 ઓગસ્ટનો. જેમાં લોકોનું એક ટોળુ એ કિશોરની ધોલાઇ કરીને માફી મંગાવે છે અને ભારત માતાકી જય બોલાવડાવે છે. આ મામલે વિવાદ શરૂ થયો છે કે હિન્દુ હોવા છતાં તેણે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું અને માફ પણ કરી દેવો પણ જો તે ખરેખર હિન્દુ ન હોત તો...?
-
કાયદો તમામ માટે એકસમાન છે. કાયદો ધર્મના આધારે ચાલતો નથી. તમામ ધર્મના લોકો કાયદા સામે સમાન છે. પરંતુ સુરતની એક ઘટનામાં પોલીસે કાયદાને ધર્મની સાથે જોડીને ભારતના રાષ્ટ્રધ્વજના લીરા કરવા અને રાષ્ટ્ર ધ્વજ તથા ભારતમાતાની વિરૂધ્ધ અપશબ્દો બોલવા, કૂચેષ્ટા કરવાના કિસ્સામાં પોતાને વિડિયોમાં મુસ્લિમ ગણાવનાર 14 વર્ષના અનુ મિશ્રા નામના કિશોરની સામે દેશદ્રોહનો ગંભીરમાં ગંભીર ગુનો નોંધ્યો. પરંતુ જ્યારે તપાસમાં બહાર આવ્યું કે આ કિશોર મુસ્લિમ નહીં ખરેખર હિન્દુ છે ત્યારે પોલીસે તેણે માફી માંગતા છોડી મૂક્યો...!! આ અંગેના બે વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયા હતા. એક 15 ઓગસ્ટનો અને એક 16 ઓગસ્ટનો. જેમાં લોકોનું એક ટોળુ એ કિશોરની ધોલાઇ કરીને માફી મંગાવે છે અને ભારત માતાકી જય બોલાવડાવે છે. આ મામલે વિવાદ શરૂ થયો છે કે હિન્દુ હોવા છતાં તેણે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું અને માફ પણ કરી દેવો પણ જો તે ખરેખર હિન્દુ ન હોત તો...?