ગુજરાતમાં ખેડૂતોને અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં નર્મદાનું પાણી ખેતી માટે નહીં ફાળવવાના સરકારના નિર્ણય સામે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોરચો માંડ્યો છે. સરકાર 24 કલાકમાં પાણી પુરવઠો નહીં શરૂ કરે તો ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો વિશાળ રેલી કાઢીને મુખ્યમંત્રી નિવાસને ઘેરશે તેમ પણ અલ્પેશ ઠાકોરે કહ્યું છે. તેમણે પાણી ચાલુ કરવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.