દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 108 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 11 કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ એક દિવસમાં મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કેરળમાં સાત મૃત્યુ થયા છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એક-એક મૃત્યુ થયું છે.