દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પ્રેમ લગ્ન કરનાર લોકોની વચ્ચે કોઈને દખલગીરી કરવાનો અધિકાર નથી. સોમવારે સુપ્રીમ કોર્ટે ખાપ પંચાયત પર કડક વલણ અપનાવતા કહ્યું કે, જો બે પુખ્ત યુગલ લગ્ન કરવાનો નિર્ણય કરે છે, તો તેમાં કોઈને પણ દખલગીરી કરવાનો હક નથી. એટલુ જ નહીં તેમને સુરક્ષા પણ આપવી જોઈએ.