અરવિંદ કેજરીવાલે પોતાના પર થયેલા હુમલા અંગે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેજરીવાલે કહ્યું કે પાંચ વર્ષોમાં મારી પર નવ વખત હુમલાઓ કરાયા છે. શનિવારે અરવિંદ કેજરીવાલને તેમના રોડ શો દરમિયાન એક વ્યક્તિએ થપ્પડ મારી હતી. આ અંગે અરવિંદ કેજરીવાલે તેમની પર વારંવાર થતા હુમલાઓ પાછળ ભાજપનો હાથ હોવાનો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે, હુમલો મારા પર નહીં પણ દિલ્હીની જનતા પર થયો છે. જો મારી પર હુમલો થાય તો તેની જવાબદાર ભાજપની સરકાર જ છે. કેજરીવાલે કહ્યું કે, હુમલાખોરની પત્નીએ જણાવ્યું છે કે, મારો પતિ પીએમ મોદી વિરોધી એક શબ્દ પણ સાંભળી શકતો નથી. તેથી જ મોદીની વિરોધમાં બોલતા વ્યક્તિઓ પર ભાજપ હુમલાઓ કરાવી રહી છે.
અરવિંદ કેજરીવાલે પોતાના પર થયેલા હુમલા અંગે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેજરીવાલે કહ્યું કે પાંચ વર્ષોમાં મારી પર નવ વખત હુમલાઓ કરાયા છે. શનિવારે અરવિંદ કેજરીવાલને તેમના રોડ શો દરમિયાન એક વ્યક્તિએ થપ્પડ મારી હતી. આ અંગે અરવિંદ કેજરીવાલે તેમની પર વારંવાર થતા હુમલાઓ પાછળ ભાજપનો હાથ હોવાનો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે, હુમલો મારા પર નહીં પણ દિલ્હીની જનતા પર થયો છે. જો મારી પર હુમલો થાય તો તેની જવાબદાર ભાજપની સરકાર જ છે. કેજરીવાલે કહ્યું કે, હુમલાખોરની પત્નીએ જણાવ્યું છે કે, મારો પતિ પીએમ મોદી વિરોધી એક શબ્દ પણ સાંભળી શકતો નથી. તેથી જ મોદીની વિરોધમાં બોલતા વ્યક્તિઓ પર ભાજપ હુમલાઓ કરાવી રહી છે.