-
ગુજરાતના સાબરકાંઠાના ઢૂંઢર ગામમાં દોઢ-બે વર્ષની બાળકી સાથે પરપ્રાંતિય ફેક્ટરી મજદૂર દ્વારા દુષ્કર્મની ઘટના બાદ રાજ્યના પાંચ-છ જીલ્લામાં પરપ્રાંતિય લોકો પર ગંભીર હુમલાની ઘટનાઓના પગલે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને આજે પોતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોલીસ દ્વારા લેવાઇ રહેલા વિવિધ પગલાઓની માહિતી આપીને જાહેર કર્યું કે અત્યાર સુધીમાં હુમલાની ઘટનામાં કુલ 42 જેટલી ફરિયાદ નોંધાઈ ચુકી છે. જેમાં 342 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.
શિવાનંદ ઝાએ જણાવ્યું કે, સાંબરકાંઠામાં એક બાળકી સાથે જે રીતે દુષ્કર્મની ઘટના બની તે ખુબ આઘાત જનક છે. આ ગુનો કરનાર અપરાધીએ ઝડપી પાડી, તેને સખતમાં સખત સજા થાય તે માટે કાર્યવાહી પણ કરી છે. પરંતુ આ ઘટના બાદ જે રીતે અન્ય નિર્દોષ પરપ્રાંતિય લોકો પર હુમલાની ઘટના સામે આવી રહી છે તે પણ મોટી દુખની વાત છે. શિવાનંદ ઝાએ પરપ્રાંતિય પર હુમલાની ઘટના પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ પરિસ્થિતિને પહોંચીવળવા માટે પોલીસ તમામ પ્રકારના પ્રયત્ન કરી રહી છે.
-
ગુજરાતના સાબરકાંઠાના ઢૂંઢર ગામમાં દોઢ-બે વર્ષની બાળકી સાથે પરપ્રાંતિય ફેક્ટરી મજદૂર દ્વારા દુષ્કર્મની ઘટના બાદ રાજ્યના પાંચ-છ જીલ્લામાં પરપ્રાંતિય લોકો પર ગંભીર હુમલાની ઘટનાઓના પગલે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને આજે પોતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોલીસ દ્વારા લેવાઇ રહેલા વિવિધ પગલાઓની માહિતી આપીને જાહેર કર્યું કે અત્યાર સુધીમાં હુમલાની ઘટનામાં કુલ 42 જેટલી ફરિયાદ નોંધાઈ ચુકી છે. જેમાં 342 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.
શિવાનંદ ઝાએ જણાવ્યું કે, સાંબરકાંઠામાં એક બાળકી સાથે જે રીતે દુષ્કર્મની ઘટના બની તે ખુબ આઘાત જનક છે. આ ગુનો કરનાર અપરાધીએ ઝડપી પાડી, તેને સખતમાં સખત સજા થાય તે માટે કાર્યવાહી પણ કરી છે. પરંતુ આ ઘટના બાદ જે રીતે અન્ય નિર્દોષ પરપ્રાંતિય લોકો પર હુમલાની ઘટના સામે આવી રહી છે તે પણ મોટી દુખની વાત છે. શિવાનંદ ઝાએ પરપ્રાંતિય પર હુમલાની ઘટના પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ પરિસ્થિતિને પહોંચીવળવા માટે પોલીસ તમામ પ્રકારના પ્રયત્ન કરી રહી છે.