Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડની રાજધાની રાંચી ખાતેથી મહત્ત્વાકાંક્ષી આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આયુષમાન ભારત યોજનાને ગરીબોની સેવા માટેનું ગેમચેન્જર પગલું ગણાવતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશનાં દરિદ્રનારાયણની સેવાની દિશામાં પગલું ભરાયું છે. કેટલાંક લોકો આ યોજનાને મોદીકેરનું નામ આપે છે, તો કેટલાંક તેને ગરીબો માટેની યોજના કહે છે. ચોક્કસપણે આ ગરીબો માટેની જ યોજના છે. ૫૦ કરોડ કરતાં વધુ લાભાર્થીઓને આવરી લેનારી આ યોજના વિશ્વની સૌથી મોટી સરકારી સહાયથી ચાલતી યોજના બની રહેશે. આયુષમાન ભારતના લાભાર્થીઓની કુલ સંખ્યા અમેરિકા, મેક્સિકો અને કેનેડાની કુલ વસતી કરતાં વધુ રહેશે. સમગ્ર વિશ્વનાં સંગઠનો અભ્યાસ કરવા માગે છે કે, સરકાર આટલી મોટી યોજનાને આર્થિક સહાય કેવી રીતે આપી રહી છે. હું જનતાને યોજનાનો હેલ્પલાઇન નંબર મોઢે કરી લેવા વિનંતી કરું છું. આયુષમાન ભારતનો હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ છે. દરેકે તે યાદ કરી લેવો જોઈએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડની રાજધાની રાંચી ખાતેથી મહત્ત્વાકાંક્ષી આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આયુષમાન ભારત યોજનાને ગરીબોની સેવા માટેનું ગેમચેન્જર પગલું ગણાવતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશનાં દરિદ્રનારાયણની સેવાની દિશામાં પગલું ભરાયું છે. કેટલાંક લોકો આ યોજનાને મોદીકેરનું નામ આપે છે, તો કેટલાંક તેને ગરીબો માટેની યોજના કહે છે. ચોક્કસપણે આ ગરીબો માટેની જ યોજના છે. ૫૦ કરોડ કરતાં વધુ લાભાર્થીઓને આવરી લેનારી આ યોજના વિશ્વની સૌથી મોટી સરકારી સહાયથી ચાલતી યોજના બની રહેશે. આયુષમાન ભારતના લાભાર્થીઓની કુલ સંખ્યા અમેરિકા, મેક્સિકો અને કેનેડાની કુલ વસતી કરતાં વધુ રહેશે. સમગ્ર વિશ્વનાં સંગઠનો અભ્યાસ કરવા માગે છે કે, સરકાર આટલી મોટી યોજનાને આર્થિક સહાય કેવી રીતે આપી રહી છે. હું જનતાને યોજનાનો હેલ્પલાઇન નંબર મોઢે કરી લેવા વિનંતી કરું છું. આયુષમાન ભારતનો હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ છે. દરેકે તે યાદ કરી લેવો જોઈએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ