નોટબંધી બાદ કેન્દ્ર સરકારે માત્ર ત્રણ લાખ સુધીના જ રોકડ વ્યવહાર કરવાનો નિયમ જરી કર્યો હતો. મંગળવારે સરકારે લોકલભામાં ફાઈનાન્સ બિલમાં સુધારો દાખલ કર્યો જેમાં રોકડ વ્યવહારની મર્યાદા ત્રણ લાખના બદલે બે લાખ કરી દેવામાં આવી છે. રેવેન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ આ મુદ્દે સરકારી નિર્ણયની જાહેરીત કરી હતી.