પ્રજાસત્તાક દિવસ સહિતની રજાઓને કારણે સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેવાની પરિસ્થિતિ હોવાથી નાગરિકો શક્ય એટલી રોકડ હાથ પર રાખવા આયોજન કરી રહ્યાં છે. 26મીએ પ્રજાસત્તાક દિવસ, 27મીએ ચોથો શનિવાર અને 28મીએ રવિવાર હોવાથી બેન્કો સળંગ ત્રણ દિવસ બંધ રહેવાની છે. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં લોકોએ એટીએમમાંથી પણ નાણાં ઉપાડવા ધસારો કરતાં અનેક એટીએમમાં નો કેશના બોર્ડ લાગ્યા હતા.