રાષ્ટ્રિય સ્વયંમસેવક વડા મોહન ભાગવતે ગૌરક્ષક દળોની હિંસક ઘટનાઓની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓથી ગૌરક્ષાનો ઉદ્દેશ બદનામ થાય છે. સાથે જ તેમણે ગૌહત્યાને અધર્મ ગણાવી દેશભરમાં તેના પર પ્રતિબંધની પણ તરફેણ કરી. મહાવીર જયંતી પર આયોજીત એક કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે ગૌરક્ષા કરતી વખતે એવું કંઈ ન કરો કે જેનાથી બીજા લોકોના વિશ્વાસને ઠેસ પહોંચે.