કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીને પત્ર લખી દાવો કર્યો છે કે પ્રજાના પૈસે મંત્રીઓ જેવી સુવિધાઓ અને પગાર આપીને ગુજરાતની ભાજપ સરકાર સંસદીય સચિવો બનાવવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના એક ચૂકાદા અનુસાર સંસદીય સચિવોની નિમણૂંક કરતો કાયદો બનાવવાની સત્તા પણ રાજ્ય સરકારો પાસે નથી. છતાં ગુજરાતમાં ગેરકાયદે રીતે સંસદીય સચિવોની નિમણૂંકની તૈયારી ચાલી રહી છે.