યુપીના પરિણામો બાદ ગુજરાત ભાજપ અતિઉત્સાહિત બન્યું છે. અત્યાર સુધી પ્રજાઆક્રોશનો સામનો કરી રહેલું ભાજપ હવે વિધાનસભાની ચૂંટણી લડવા બેતાબ બન્યું છે.જોક, આ વખતે ભાજપના ૫૦ ટકાથી વધુ વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાઇ જશે. જયારે ઘણાં વયોવૃધ્ધ ધારાસભ્યોને ઘેર બેસવાનો આદેશ કરાશે . પ્રજા આક્રોશને જોતાં સ્વચ્છ છબી ધરાવતાં યુવાનોને ભાજપ આ વખતે ધારાસભ્ય બનવાની તક આપશે.