-
બોમ્બે હાઈકોર્ટે ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપી ડીજી વણઝારા સહિત અન્યોને નીચલી કોર્ટ દ્વારા આરોપમુક્ત કરવાના ચુકાદાને પડકારતી ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી છે. અને નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખતાં પૂર્વ પોલીસ અધિકારી વણઝારા સહિતના અન્ય પોલીસ કર્મચારીઓને આરોપોમાંથી મુક્ત કરી દીધાં છે. નીચલી અદાલતે આ મામલે ગુજરાતના IPS અધિકારી રાજુકમાર પાંડિયન, ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા, ગુજરાત પોલીસના અધિકારી એનકે અમીન, રાજસ્થાન કેડરના IPS અધિકારી દિનેશ એમએન અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપતસિંહ રાઠોડને આરોપમુક્ત કરી દીધા હતા.
-
બોમ્બે હાઈકોર્ટે ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપી ડીજી વણઝારા સહિત અન્યોને નીચલી કોર્ટ દ્વારા આરોપમુક્ત કરવાના ચુકાદાને પડકારતી ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી છે. અને નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખતાં પૂર્વ પોલીસ અધિકારી વણઝારા સહિતના અન્ય પોલીસ કર્મચારીઓને આરોપોમાંથી મુક્ત કરી દીધાં છે. નીચલી અદાલતે આ મામલે ગુજરાતના IPS અધિકારી રાજુકમાર પાંડિયન, ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા, ગુજરાત પોલીસના અધિકારી એનકે અમીન, રાજસ્થાન કેડરના IPS અધિકારી દિનેશ એમએન અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપતસિંહ રાઠોડને આરોપમુક્ત કરી દીધા હતા.