-
ગુજરાતને કેન્દ્ર સરકારે નર્મદા યોજના માટે 1484 કરોડની ઓછા વ્યાજની લોન આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિડિયાને જણાવ્યું કે કેન્દ્ર સરકારે 6 ટકાના ઓછા વ્યાજે આ લાંબા ગાળાની જે લોન આપી છે તે નર્મદાના સમારકામ માટે ઉપયોગમાં લેવાશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર 2019માં નર્મદા યોજનાનું કામ સંપન્ન કરશે. નર્મદા ડેમમાં એક વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. તેથી હવે જળસંક્ટ નહીં રહે. જે વધારાનું પાણી આવશે તે સિંચાઇ માટે અપાશે, એમ પણ તેમણે કહ્યું હતું.
-
ગુજરાતને કેન્દ્ર સરકારે નર્મદા યોજના માટે 1484 કરોડની ઓછા વ્યાજની લોન આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિડિયાને જણાવ્યું કે કેન્દ્ર સરકારે 6 ટકાના ઓછા વ્યાજે આ લાંબા ગાળાની જે લોન આપી છે તે નર્મદાના સમારકામ માટે ઉપયોગમાં લેવાશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર 2019માં નર્મદા યોજનાનું કામ સંપન્ન કરશે. નર્મદા ડેમમાં એક વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. તેથી હવે જળસંક્ટ નહીં રહે. જે વધારાનું પાણી આવશે તે સિંચાઇ માટે અપાશે, એમ પણ તેમણે કહ્યું હતું.