ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવાર તા. 3 મે 2019ના રોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં બે જાહેરસભાને સંબોધન કરશે. વિજય રૂપાણી આવતીકાલે શુક્રવારે, સાંજે નવી દિલ્હી પહોચીને 6 વાગ્યે ગુડીયાવાલ મંદિર, રઘુબીરનગર પશ્ચિમ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂનાવના ઉમેદવાર શ્રી પ્રવેશ વર્મા માટે જાહેરસભા સંબોધવાના છે. મુખ્યમંત્રી રાત્રે 8 વાગ્યે પૂર્વ દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે ગુજરાત વિહારમાં જનસભા સંબોધન કરીને લોકસભા બેઠકના પ્રત્યાશી શ્રી ગૌતમ ગંભીરના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. નવી દિલ્હીની આ બેઠકો માટે લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબક્કામાં આગામી તા. 12મી મેએ મતદાન થવાનું છે. મુખ્યમંત્રી શુક્રવારે નવી દિલ્હીમાં બે પ્રચાર સભાઓ સંબોધન કરીને રાત્રે ગાંધીનગર પરત આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવાર તા. 3 મે 2019ના રોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં બે જાહેરસભાને સંબોધન કરશે. વિજય રૂપાણી આવતીકાલે શુક્રવારે, સાંજે નવી દિલ્હી પહોચીને 6 વાગ્યે ગુડીયાવાલ મંદિર, રઘુબીરનગર પશ્ચિમ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂનાવના ઉમેદવાર શ્રી પ્રવેશ વર્મા માટે જાહેરસભા સંબોધવાના છે. મુખ્યમંત્રી રાત્રે 8 વાગ્યે પૂર્વ દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે ગુજરાત વિહારમાં જનસભા સંબોધન કરીને લોકસભા બેઠકના પ્રત્યાશી શ્રી ગૌતમ ગંભીરના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. નવી દિલ્હીની આ બેઠકો માટે લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબક્કામાં આગામી તા. 12મી મેએ મતદાન થવાનું છે. મુખ્યમંત્રી શુક્રવારે નવી દિલ્હીમાં બે પ્રચાર સભાઓ સંબોધન કરીને રાત્રે ગાંધીનગર પરત આવશે.