કૈલાશ માનસરોવરના યાત્રાળુ માટે આ વર્ષે ચીન નાથુ-લાનો રસ્તો ખોલશે. આ અંગેની જાહેરાત રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી.કે.સિંહે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. ગયા વર્ષે દોકલામનો વિવાદ થતાં ચીને અધવચ્ચેથી માનસરોવરની યાત્રાનો આ માર્ગ બંધ કર્યો હતો. કૈલાશ માનસરોવર ભારતના યાત્રાળુઓ માટે ખૂબ જ મહત્વનું તીર્થસ્થાન છે. એ માટે ચીન બે માર્ગે પ્રવાસ માટે પરવાનગી આપે છે. તેમાંથી સૌથી સુગમ અને સરળ માર્ગ નાથુ-લા ઘાટનો છે.
કૈલાશ માનસરોવરના યાત્રાળુ માટે આ વર્ષે ચીન નાથુ-લાનો રસ્તો ખોલશે. આ અંગેની જાહેરાત રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી.કે.સિંહે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. ગયા વર્ષે દોકલામનો વિવાદ થતાં ચીને અધવચ્ચેથી માનસરોવરની યાત્રાનો આ માર્ગ બંધ કર્યો હતો. કૈલાશ માનસરોવર ભારતના યાત્રાળુઓ માટે ખૂબ જ મહત્વનું તીર્થસ્થાન છે. એ માટે ચીન બે માર્ગે પ્રવાસ માટે પરવાનગી આપે છે. તેમાંથી સૌથી સુગમ અને સરળ માર્ગ નાથુ-લા ઘાટનો છે.