ભાજપ પ્રમુખ અમિત શાહે કોંગ્રેસ સામે સિંધિયા રાજવી પરિવારનાં રાજમાતા વિજિયારાજે સિંધિયાનો મુદ્દો ઉઠાવીને આક્ષેપો કર્યા હતા. શાહે કહ્યું કે, કોંગ્રેસે રાજમાતા પર અનેક સીતમ ગુજાર્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ પરિવારનાં છે. સતનાના બીટીઆઈ મેદાનમાં કમલ શક્તિ સંવાદ સંમેલનમાં શાહે કહ્યું કે કટોકટી વખતે રાજમાતાને જેલમાં પૂરીને અત્યાચાર ગુજારાયો હતો. ૧૨ ઓક્ટોબરથી ભાજપ વિજિયારાજે સિંધિયાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. રાજમાતા જનસંઘ અને ભાજપ માટે મધ્ય પ્રદેશ ઉપરાંત છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાતમાં પણ ફરી વળ્યા હતા. તેઓ લોકો પર માતૃપ્રેમ વહાવતા હતા. કોંગ્રેસે તેમના પર સિતમ ગુજાર્યો હતો.
ભાજપ પ્રમુખ અમિત શાહે કોંગ્રેસ સામે સિંધિયા રાજવી પરિવારનાં રાજમાતા વિજિયારાજે સિંધિયાનો મુદ્દો ઉઠાવીને આક્ષેપો કર્યા હતા. શાહે કહ્યું કે, કોંગ્રેસે રાજમાતા પર અનેક સીતમ ગુજાર્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ પરિવારનાં છે. સતનાના બીટીઆઈ મેદાનમાં કમલ શક્તિ સંવાદ સંમેલનમાં શાહે કહ્યું કે કટોકટી વખતે રાજમાતાને જેલમાં પૂરીને અત્યાચાર ગુજારાયો હતો. ૧૨ ઓક્ટોબરથી ભાજપ વિજિયારાજે સિંધિયાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. રાજમાતા જનસંઘ અને ભાજપ માટે મધ્ય પ્રદેશ ઉપરાંત છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાતમાં પણ ફરી વળ્યા હતા. તેઓ લોકો પર માતૃપ્રેમ વહાવતા હતા. કોંગ્રેસે તેમના પર સિતમ ગુજાર્યો હતો.