દેશમાં ચાલી રહેલી લોકસભાની ચુંટણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દરેક સભામાં પાકિસ્તના પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરીને મતો માંગી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન મનમહોન સિંહના સર્જિકલ સ્ટ્રાઇકના દાવા બાદ કોંગ્રેસે 6 સર્જિકલ સ્ટ્રાઇકની યાદી જાહેર કરી છે. જેમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઇક 19 જુન 2008માં, બીજી 30 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરે, ત્રીજી 6 જાન્યુઆરી 2013, ચોથી 27-28 જુલાઇ 2018 વચ્ચે, પાંચમાં 6 ઓગસ્ટ 2013 અને છઠ્ઠી 23 ડિસેમ્બર 2013માં કરવામાં આવી હતી.
મનમોહનસિંહે કહ્યું હતું કે છેલ્લા 70 વર્ષમાં સરકારને ક્યારે પણ અમારા સશસ્ત્રદળની વીરતા પાછળ છૂપાવવાની જરૂર નથી પડી. મોદી સરકાર આવું પોતાની અસફળતા છૂપાવવા માટે કરી રહી છે.