લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ 8-9 કરતા વધુ બેઠક જીત મેળવશે તેવી આશા બંધાઈ હતી પરંતુ ચુંટણી સમયે કોંગ્રેસના નેતાઓએ ભાજપ સાથે લેતીદેતી કરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. ગાંધીનગર લોકસભા બેઠક પર ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી લડી ચૂકેલા કોંગ્રેસના નેતાઓ અમિત શાહના ખોળે બેસી ગયા હતા અને ચુંટણીના દિવસે ઘરમાં પુરાઈ રહ્યા હતા અને પાર્ટી તરફી મતદાન કરાવ્યું ન હતું.
કટકી કરવાની માનસિકતા ધરાવતા નેતાઓને કારણે કોંગ્રેસ જીત મેળવી શકતી નથી. જુહાપુરા, વેજલપુર જેવા વિસ્તારમાં તો કોંગ્રેસના નેતાઓ કાર્યાલય બંધ કરી દીધા હતા અને અમિત શાહ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી અને ભાજપ તરફી મતદાન કરાવવા માટે મદદ કરી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તો ભરતસિંહ સોલંકીને જીતડવા માટે જાણે અમદાવાદને રામ ભરોસે મૂકી દીધું હતું. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેવી બેઠક કોંગ્રેસ ખૂબ જ સરળતાથી જીત મેળવે તેમ લાગતું હતું પણ ડીસા અને ધાનેરામાં મોટા પાયે પક્ષ કામ કોંગ્રેસના નેતાઓ કર્યું નથી તેના કરાણે મોટું નુકસાન થવાની શક્યતા છે. બનાસકાંઠામાં કોંગ્રેસના કેટલાક આગેવાનો માત્ર ઉમેદવાર સાથે ફર્યા જ હતા પરંતુ કોંગ્રેસ પક્ષના વિરોધમાં કામ કર્યું છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.
લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ 8-9 કરતા વધુ બેઠક જીત મેળવશે તેવી આશા બંધાઈ હતી પરંતુ ચુંટણી સમયે કોંગ્રેસના નેતાઓએ ભાજપ સાથે લેતીદેતી કરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. ગાંધીનગર લોકસભા બેઠક પર ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી લડી ચૂકેલા કોંગ્રેસના નેતાઓ અમિત શાહના ખોળે બેસી ગયા હતા અને ચુંટણીના દિવસે ઘરમાં પુરાઈ રહ્યા હતા અને પાર્ટી તરફી મતદાન કરાવ્યું ન હતું.
કટકી કરવાની માનસિકતા ધરાવતા નેતાઓને કારણે કોંગ્રેસ જીત મેળવી શકતી નથી. જુહાપુરા, વેજલપુર જેવા વિસ્તારમાં તો કોંગ્રેસના નેતાઓ કાર્યાલય બંધ કરી દીધા હતા અને અમિત શાહ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી અને ભાજપ તરફી મતદાન કરાવવા માટે મદદ કરી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તો ભરતસિંહ સોલંકીને જીતડવા માટે જાણે અમદાવાદને રામ ભરોસે મૂકી દીધું હતું. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેવી બેઠક કોંગ્રેસ ખૂબ જ સરળતાથી જીત મેળવે તેમ લાગતું હતું પણ ડીસા અને ધાનેરામાં મોટા પાયે પક્ષ કામ કોંગ્રેસના નેતાઓ કર્યું નથી તેના કરાણે મોટું નુકસાન થવાની શક્યતા છે. બનાસકાંઠામાં કોંગ્રેસના કેટલાક આગેવાનો માત્ર ઉમેદવાર સાથે ફર્યા જ હતા પરંતુ કોંગ્રેસ પક્ષના વિરોધમાં કામ કર્યું છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.