દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનનું નામ દિવંગત ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાના પ્રસ્તાવ પર વિવાદ શરૂ થઈ ચુક્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે ભાજપે વડાપ્રધાનનું નામ બદલી નાખવું જોઈએ અને કદાચ તો તેમને વોટ મળશે. રામલીલા મેદાન વગેરેના નામ બદલીને અટલજીના નામ પર રાખવાથી વોટ મળવાના નથી.