Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાંય રોજેરોજ 90 હજાર કેસો નોંધાઈ રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે હવે દેશમાં કોરોનાથી કુલ 50 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 90,123 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,290 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 50,20,360 થઈ ગઈ છે. 
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 39 લાખ 42 હજાર 361 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,95,933 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 82,066 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 5,94,29,115 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારે 24 કલાકમાં 11,16,842 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાંય રોજેરોજ 90 હજાર કેસો નોંધાઈ રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે હવે દેશમાં કોરોનાથી કુલ 50 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 90,123 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 1,290 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 50,20,360 થઈ ગઈ છે. 
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 39 લાખ 42 હજાર 361 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,95,933 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 82,066 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 5,94,29,115 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારે 24 કલાકમાં 11,16,842 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ