ભારત સામે કાશ્મીર મુદ્દે ત્રણ ત્રણ યુદ્ધ હારીને નામોશી વહોરનાર પાકિસ્તાનની સાન હજી ઠેકાણે આવી નથી. ભારત સામે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની પોકળ ધમકી આપનાર પાક. દ્વારા કાશ્મીરમાં ફરી એક વાર યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. રવિવારે પાક. રેન્જર્સ દ્વારા પૂંછ સેક્ટરમાં એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જોકે ભારતના જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાક. રેન્જર્સ દ્વારા પૂંછના દિગવર સેક્ટરમાં ભારતની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. પાક. દ્વારા નાનાં અને ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરાયો હતો. ભારતે પણ સામે જોરદાર ફાયરિંગ અને તોપમારો કર્યા હતા. આ ઘટનામાં કોઈ જવાનની જાનહાનિના અહેવાલ નથી.
ભારત સામે કાશ્મીર મુદ્દે ત્રણ ત્રણ યુદ્ધ હારીને નામોશી વહોરનાર પાકિસ્તાનની સાન હજી ઠેકાણે આવી નથી. ભારત સામે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની પોકળ ધમકી આપનાર પાક. દ્વારા કાશ્મીરમાં ફરી એક વાર યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. રવિવારે પાક. રેન્જર્સ દ્વારા પૂંછ સેક્ટરમાં એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જોકે ભારતના જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાક. રેન્જર્સ દ્વારા પૂંછના દિગવર સેક્ટરમાં ભારતની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. પાક. દ્વારા નાનાં અને ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરાયો હતો. ભારતે પણ સામે જોરદાર ફાયરિંગ અને તોપમારો કર્યા હતા. આ ઘટનામાં કોઈ જવાનની જાનહાનિના અહેવાલ નથી.