-
દલિત નેતા અને લોકજનશક્તિ પાર્ટી(લોજપા)ના પ્રણેતા અને કેન્દ્રના મંત્રી રામવિલાસ પાસવાને મિડિયા સાથે વાત કરતાં એસસી-એસટી કાયદામાં સુધારો કરીને એટ્રોસીટીના ગુનાની જોગવાઇ પૂર્વવત રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની રાજનીતિમાં બીજા વી.પી. સિંહ બન્યા છે કે જેમણે મંડલ પંચની ભલામણો સ્વીકારીને ઓબીસીને સૌ પ્રથમવાર અનામત આપી હતી. એટલું જ નહીં મોદી અને વીપી સિંહ એવા બે નેતા પૂરવાર થયાં કે જેમણે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના અધુરૂ સપનું પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટેના માર્ચ-2018ના ચુકાદાથી સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ નારાજ હતો. ભારત બંધનું એલાન પણ અપાયું હતું. પરંતુ વડાપ્રધાને સંસદમાં સુધારો લાવીને એટ્રોસીટી ગુનામાં હવે આરોપીઓની અગાઉની જેમ જ તાકીદે ધરપકડ થઇ શક્શે.
-
દલિત નેતા અને લોકજનશક્તિ પાર્ટી(લોજપા)ના પ્રણેતા અને કેન્દ્રના મંત્રી રામવિલાસ પાસવાને મિડિયા સાથે વાત કરતાં એસસી-એસટી કાયદામાં સુધારો કરીને એટ્રોસીટીના ગુનાની જોગવાઇ પૂર્વવત રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની રાજનીતિમાં બીજા વી.પી. સિંહ બન્યા છે કે જેમણે મંડલ પંચની ભલામણો સ્વીકારીને ઓબીસીને સૌ પ્રથમવાર અનામત આપી હતી. એટલું જ નહીં મોદી અને વીપી સિંહ એવા બે નેતા પૂરવાર થયાં કે જેમણે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના અધુરૂ સપનું પૂર્ણ કર્યું છે. તેમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટેના માર્ચ-2018ના ચુકાદાથી સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ નારાજ હતો. ભારત બંધનું એલાન પણ અપાયું હતું. પરંતુ વડાપ્રધાને સંસદમાં સુધારો લાવીને એટ્રોસીટી ગુનામાં હવે આરોપીઓની અગાઉની જેમ જ તાકીદે ધરપકડ થઇ શક્શે.