લઘુતમ ટેકાના ભાવ, લોનમાફી સહિતની માગણીઓના સંદર્ભમાં મંગળવારે દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર દેખાવોને પગલે કેન્દ્રની મોદી સરકારે બુધવારે રવી પાકના લઘુતમ ટેકાના ભાવો વધારવાની જાહેરાત કરી છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટે વર્ષ ૨૦૧૮-૧૯ની રવી સિઝન માટે ઘઉંના લઘુતમ ટેકાના ભાવમાં રૂપિયા ૧૦૫, મસૂરમાં રૂપિયા ૨૨૫, સૂર્યમુખીમાં રૂપિયા ૮૪૫ અને કઠોળમાં રૂપિયા ૨૨૦ પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કરવાને મંજૂરી આપી છે.
લઘુતમ ટેકાના ભાવ, લોનમાફી સહિતની માગણીઓના સંદર્ભમાં મંગળવારે દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર દેખાવોને પગલે કેન્દ્રની મોદી સરકારે બુધવારે રવી પાકના લઘુતમ ટેકાના ભાવો વધારવાની જાહેરાત કરી છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટે વર્ષ ૨૦૧૮-૧૯ની રવી સિઝન માટે ઘઉંના લઘુતમ ટેકાના ભાવમાં રૂપિયા ૧૦૫, મસૂરમાં રૂપિયા ૨૨૫, સૂર્યમુખીમાં રૂપિયા ૮૪૫ અને કઠોળમાં રૂપિયા ૨૨૦ પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કરવાને મંજૂરી આપી છે.