કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે બજેટ સત્રની શરૂઆત સાથે જ ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા સંસદના બંને ગૃહમાં ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. સરવેમાં જણાવાયું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં દેશનો વિકાસદર ૭થી ૭.૫ ટકા રહેવાનો અંદાજ છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારત વિકાસના પથ ઉપર અગ્રેસર છે અને આગામી વર્ષે ભારત વિશ્વનું સૌથી ઝડપી આગળ વધતું અર્થતંત્ર બની જશે.
તાજેતરમાં ભારતનો વિકાસદર ૬.૭૫ ટકાએ આગળ વધી રહ્યો છે પણ આગામી નાણાકીય વર્ષમાં તે વધુ ઝડપ પકડશે તેવી આશા કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે બજેટ સત્રની શરૂઆત સાથે જ ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા સંસદના બંને ગૃહમાં ઈકોનોમિક સરવે રજૂ કરવામાં આવ્યો હતો. સરવેમાં જણાવાયું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં દેશનો વિકાસદર ૭થી ૭.૫ ટકા રહેવાનો અંદાજ છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારત વિકાસના પથ ઉપર અગ્રેસર છે અને આગામી વર્ષે ભારત વિશ્વનું સૌથી ઝડપી આગળ વધતું અર્થતંત્ર બની જશે.
તાજેતરમાં ભારતનો વિકાસદર ૬.૭૫ ટકાએ આગળ વધી રહ્યો છે પણ આગામી નાણાકીય વર્ષમાં તે વધુ ઝડપ પકડશે તેવી આશા કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.