ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કારમી હાર પછી માયાવતીએ ભાજપ પર ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીનમાં ગરબડી કરીને જીત મેળવી હોવાનો આરોપ મૂક્યો હતો. બાદમાં નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઈવીએમના બદલે બેલટ પેપરથી કરાવવાની માગ કરી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી પંચે ઈવીએમમાં ગરબડી થઈ શકે છે એ શંકાને ફગાવી દીધી છે. આ પ્રકારના આરોપોને ચૂંટણી પંચે આધારહીન, તથ્યો વિનાના, અફવાઓને પ્રોત્સાહન આપતા અને મૂર્ખામીભર્યા ગણાવ્યા છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કારમી હાર પછી માયાવતીએ ભાજપ પર ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીનમાં ગરબડી કરીને જીત મેળવી હોવાનો આરોપ મૂક્યો હતો. બાદમાં નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઈવીએમના બદલે બેલટ પેપરથી કરાવવાની માગ કરી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી પંચે ઈવીએમમાં ગરબડી થઈ શકે છે એ શંકાને ફગાવી દીધી છે. આ પ્રકારના આરોપોને ચૂંટણી પંચે આધારહીન, તથ્યો વિનાના, અફવાઓને પ્રોત્સાહન આપતા અને મૂર્ખામીભર્યા ગણાવ્યા છે.