શિવસેનાના સેન્ડલ માર સાસંદ રવિન્દ્રનાથ ગાયકવાડ પર એર ઈન્ડિયાના પ્રતિબંધ મુદ્દે આજે શિવસેનાના સાસંદોએ સંસદમાં હોબાળો કર્યા હતો. એર ઈન્ડિયાના આધેય વયના કર્મચારીને 25 વખત જૂતું મારવાની ઘટના પછી ગાયકવાડ પહેલીવાર સંસદમાં હાજર રહ્યા હતા. આ દરનિયાન શિવસેનાનાં કેન્દ્રિય મંત્રી અનંત ગીતેએ ધમકી આપી હતી કે ગાયકવાડ પરનો પ્રતિબંધ હટાવો નહી તો એર ઈન્ડિયાનું એકેય વિમાન મુંબઈ-પૂણે નહીં ઊડવા દઈએ.