હરિયાણાનાં હિસારની કોર્ટે સંત રામપાલને ચાર વર્ષ જૂના 6 હત્યાના 2 કેસમાં દોષિત જાહેર કર્યા છે. હિસારમાં 18 નવેમ્બર 2014માં બરવાલા ખાતેના સતલોક આશ્રમમાં હત્યાના 2 કેસમાં અને કોર્ટનો અનાદર કરવાના કેસમાં ગુરુવારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી. આર. ચાલિયાએ રામપાલ અને અન્ય તમામ 29 આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા. કોર્ટ દ્વારા રામપાલ અને અન્ય દોષિતોને 16 કે 17મીએ સજા સંભળાવવામાં આવશે. કાયદોવ્યવસ્થા જાળવવા જેલમાં જ કોર્ટ કાર્યવાહી કરાઈ હતી. જેલમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસ ચલાવાયો હતો. હિસાર અને આસપાસના વિસ્તારમાં અનિચ્છનીય ઘટનાઓ રોકવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
હરિયાણાનાં હિસારની કોર્ટે સંત રામપાલને ચાર વર્ષ જૂના 6 હત્યાના 2 કેસમાં દોષિત જાહેર કર્યા છે. હિસારમાં 18 નવેમ્બર 2014માં બરવાલા ખાતેના સતલોક આશ્રમમાં હત્યાના 2 કેસમાં અને કોર્ટનો અનાદર કરવાના કેસમાં ગુરુવારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી. આર. ચાલિયાએ રામપાલ અને અન્ય તમામ 29 આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા. કોર્ટ દ્વારા રામપાલ અને અન્ય દોષિતોને 16 કે 17મીએ સજા સંભળાવવામાં આવશે. કાયદોવ્યવસ્થા જાળવવા જેલમાં જ કોર્ટ કાર્યવાહી કરાઈ હતી. જેલમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસ ચલાવાયો હતો. હિસાર અને આસપાસના વિસ્તારમાં અનિચ્છનીય ઘટનાઓ રોકવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.