હવે જ્યારે તમારું આવકવેરા રિટર્ન ભરશો ત્યારે તમારે આધાર નંબર ફરજિયાતપણે આપવો પડશે. સરકારે આજે આ સંદર્ભમાં લોકસભામાં પ્રસ્તાવ રજૂ કર્યા હતો. તમામ કરદાતા માટે જરૂરી પરમેનન્ટ એકાઉન્ટ નંબર(પાન) મેળવવા માટે પણ આધાર નંબર આપવો પડશે. નાણા પ્રધાન અરૂન જેટલીના જણાવ્યા અનુસાર જૂલાઈ મહિનાથી આ નવો નિયમ અમલી બનાવવાની યોજના છે.