જીએસટી ખરડો બુધવારે લોકસભામાં પસાર થયો હતો. હવે જુલાઈથી તેનો અમલ શરૂ થઈ શકે છે. જીએસટી સાથે જોડાયેલા કુલ ચાર ખરડા – સેન્ટ્રલ જીએસટી, ઈન્ટિગ્રેટેડ જીએસટી, યુનિયન જીએસટી તથા વળતર કાયદો ઉપર સાત કલાક ચર્ચા ચાલી હતી. આ ખરડા પરની ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભામાં ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા દરમિયાન નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે જીએસટીનો અમલ થવાથી મોંઘવારી કાબુમાં આવશે. તો સામે કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું હતું કે આ કોઈ મોટો ગેમચેન્જર કાયદો નથી, આ તો હજુ પા-પા પગલી છે.
જીએસટી ખરડો બુધવારે લોકસભામાં પસાર થયો હતો. હવે જુલાઈથી તેનો અમલ શરૂ થઈ શકે છે. જીએસટી સાથે જોડાયેલા કુલ ચાર ખરડા – સેન્ટ્રલ જીએસટી, ઈન્ટિગ્રેટેડ જીએસટી, યુનિયન જીએસટી તથા વળતર કાયદો ઉપર સાત કલાક ચર્ચા ચાલી હતી. આ ખરડા પરની ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભામાં ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા દરમિયાન નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે જીએસટીનો અમલ થવાથી મોંઘવારી કાબુમાં આવશે. તો સામે કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું હતું કે આ કોઈ મોટો ગેમચેન્જર કાયદો નથી, આ તો હજુ પા-પા પગલી છે.