-
ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિન જન્માષ્ટમી પર્વની ગઇકાલે સામવારે સમગ્ર દેશમાં ભારે ધામધૂમથી ભાવિક લાખો-કરોડો ભક્તજનોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. અને જન્માષ્ટમીની રાત્રિએ બાલ મુકુંદ સ્વરૂપ કાનુડાને હિંડોળે ઝુલાવ્યાં હતા. મુંબઇમાં લોકપ્રિય મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. મથુરા, વૃંદાવન, ગુજરાતમાં દ્વારકા, ડાકોર, શામળાજી રાજસ્થાનમાં શ્રીનાથજી નાથદ્વારા વગેરે. ખાતે આવેલા શ્રી કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનું જીવંત પ્રસારણ કરાયું હતું. ઇસ્કોન મંદિર દ્વારા પણ અમદાવાદ સહિત જ્યાં જ્યાં ઇસ્કોન મંદિરો આવેલા છે ત્યાં રાત્રિના 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણના બાળઅવતારની મૂર્તિની સજાવટ અને શણગારના દર્શન કરાયા હતા. ટીવી ચેનલો પર લોકપ્રિય ગીત ગોવિંદા આલા રે આલા..સહિત મટકી ફોડ સાથેના હિન્દી ફિલ્મોની ગીતોએ રમઝટ જમાવી હતી.
-
ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિન જન્માષ્ટમી પર્વની ગઇકાલે સામવારે સમગ્ર દેશમાં ભારે ધામધૂમથી ભાવિક લાખો-કરોડો ભક્તજનોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. અને જન્માષ્ટમીની રાત્રિએ બાલ મુકુંદ સ્વરૂપ કાનુડાને હિંડોળે ઝુલાવ્યાં હતા. મુંબઇમાં લોકપ્રિય મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. મથુરા, વૃંદાવન, ગુજરાતમાં દ્વારકા, ડાકોર, શામળાજી રાજસ્થાનમાં શ્રીનાથજી નાથદ્વારા વગેરે. ખાતે આવેલા શ્રી કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનું જીવંત પ્રસારણ કરાયું હતું. ઇસ્કોન મંદિર દ્વારા પણ અમદાવાદ સહિત જ્યાં જ્યાં ઇસ્કોન મંદિરો આવેલા છે ત્યાં રાત્રિના 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણના બાળઅવતારની મૂર્તિની સજાવટ અને શણગારના દર્શન કરાયા હતા. ટીવી ચેનલો પર લોકપ્રિય ગીત ગોવિંદા આલા રે આલા..સહિત મટકી ફોડ સાથેના હિન્દી ફિલ્મોની ગીતોએ રમઝટ જમાવી હતી.