ગુજરાતમાં પદ્માવત ફિલ્મને લઈને ચાલતા વિરોધ પ્રદર્શનથી એસટી વિભાગને 2 દિવસમાં 2 કરોડ રૂપિયાનુ નુકશાન થયું છે. એસટી વિભાગની માહિતી મુજબ વિરોધ પ્રદર્શન દરમિયાન પાંચ એસટી સળગાવાઈ અને 14 બસમાં તોડફોડ થઈ. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા સહિતના જિલ્લાઓમાં 36 કલાક સુધી મોટાભાગના એસટી બસ રૂટ બંધ રહેવાને કારણે મુસાફરોને વળતર આપવું પડ્યું હતું.