-
પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી માટે રાજ્ય સરકારની સામે આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે અન્ન ત્યાગ બાદ આજે ગુરૂવારે ઉપવાસના છઠ્ઠા દિવસે હવે પાણી પણ નહીં લેવાનું જાહેર કરતાં તેમની તબિયત ધીમે ધીમે કથળવાની શરૂ થઇ ગઇ છે. પોલીસ,આઇબી અને સરકાર તેમના પર બરાબરની દેખરેખ રાખી રહી છે. અને હાર્દિકની તબિયતને લઇને કંઇક મોટી ઘટના બને તે પહેલા તેને પરાણે ઉપાડીને હોસ્પિટલમાં લઇ જવાનું આયોજન શરૂ થઇ ગયું હોવાનું પણ જાણવા મળે છે. દરમ્યાનમાં,હાર્દિકે આજે ઉપવાસ સ્થળેથી ટ્વીટ કરીને સરકારને કહ્યું કે સુપ્રિમ કોર્ટ પણ કહે છે કે પ્રજાનો અવાજ દબાવી નહીં શકાય.સત્તા સામે જનતાનો વિસ્ફોટ- રોષ બહાર આવશે.
-
પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી માટે રાજ્ય સરકારની સામે આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે અન્ન ત્યાગ બાદ આજે ગુરૂવારે ઉપવાસના છઠ્ઠા દિવસે હવે પાણી પણ નહીં લેવાનું જાહેર કરતાં તેમની તબિયત ધીમે ધીમે કથળવાની શરૂ થઇ ગઇ છે. પોલીસ,આઇબી અને સરકાર તેમના પર બરાબરની દેખરેખ રાખી રહી છે. અને હાર્દિકની તબિયતને લઇને કંઇક મોટી ઘટના બને તે પહેલા તેને પરાણે ઉપાડીને હોસ્પિટલમાં લઇ જવાનું આયોજન શરૂ થઇ ગયું હોવાનું પણ જાણવા મળે છે. દરમ્યાનમાં,હાર્દિકે આજે ઉપવાસ સ્થળેથી ટ્વીટ કરીને સરકારને કહ્યું કે સુપ્રિમ કોર્ટ પણ કહે છે કે પ્રજાનો અવાજ દબાવી નહીં શકાય.સત્તા સામે જનતાનો વિસ્ફોટ- રોષ બહાર આવશે.